WEL COME TO PARESH PRAJAPATI BLOG .

A GOOD TEACHER IS A MOBILE UNIVERCITY OF KNOWLEDGE .

PARESH

A NATION DOES NOT GREAT BY SHOUTING SLOGANS .

બુધવાર, 28 ઑગસ્ટ, 2013

સને-૨૦૧૩-૧૪ ના વિજ્ઞાન, ગણિત પર્યાવરણ પ્રદર્શનની પ્રાથમિક માહિતી






સને-૨૦૧૩-૧૪ ના વિજ્ઞાન, ગણિત પર્યાવરણ પ્રદર્શનની પ્રાથમિક માહિતી 
  • વિજ્ઞાન, ગણિત પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૩-૧૪ 
  • મુખ્ય વિષય : વૈજ્ઞાનિક અને ગાણિતિક નવીનીકરણ
  • પેટા વિષય : (૧) ખેતી 
  •                     (૨) ઊર્જા
  •                     (૩) આરોગ્ય 
  •                     (૪) પર્યાવરણ 
  •                     (૫) સંસાધનો 
  • ગણિત-વિજ્ઞાન પ્રદર્શન -૨૦૧૨ સંદર્ભે અહિં તૈયારીના ભાગરૂપે વેબસાઇટ મુકવામાં આવે છે. આ વેબસાઇટ વડે માર્ગદર્શન મેળવી શકાશે.

વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ, ડોટ કોમ



વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ, ડોટ કોમ

વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

ધારો કે મીરાંબાઈ ડોટ કોમ રાખીએ, તો રાધા રિસાય
એનું શું?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક, ફ્લોપી ભિંજાય એનું શું?

પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું?
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

ગીતાજી ડોટ કોમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ
પંડિતની જાત,
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત

તુલસી, કબીર, સુર, નરસૈયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ,
એને શું વાયરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે
ઘનશ્યામ?

ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ
વિન્ડો ના વાખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું?

-
કૃષ્ણ દવે

જ્ઞાન વિજ્ઞાન

Toys from Trash

જ્ઞાન વિજ્ઞાન 

ttp://www.arvindguptatoys.com/toys.html



પ્રસ્તુત છે “શ્રી મદ્ ભાગવદ્ ગીતા” – બલદેવ રાજ ચોપડા (બી. આર. ચોપડા) દ્વારા બનાવવામાં આવેલ “મહાભારત” ધારાવાહિક માંથી

http://www.sanatanjagruti.org/taxonomy/term/114


જન્માષ્ટમી - શ્રાવણ વદ ૮

જન્માષ્ટમી - શ્રાવણ વદ ૮






જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા. આ પર્વ પ્રત્યેક વર્ષે એક જ વાર આવે છે, પણ લોકોને કેટલો આનંદ આપે છે! વસુદેવ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે, અને દેવકીજી નિષ્કામ બુદ્ધિનું સ્વરૂપ છે. દેવકીનો ભાઇ કંસ બહેનને વિદાય આપવા રથ હાંકે છે. આ વખતે આકાશવાણી થાય છે. "તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે." કંસે ભયભીત બની દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા.
 
એક પછી એક એમ દેવકીના બાળકોનો કંસે વિનાશ કર્યો. શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, શ્રી કૃષ્ણ જન્મ જયંતી, ભગવાન શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરવા, પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું પાલન કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો.
 
ભગવાનનો પ્રાદુર્ભાવ થતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ રેલાયો. પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વસુદેવે જોયા. "મને ગોકુળમાં નંદબાબાને ત્યાં મૂકી આવો." અને વસુદેવ-દેવકીને બીજા વધુ ૧૧ વર્ષ અને ૫૨ (બાવન) દિવસ પોતાનું ધ્યાન ધરવા કહ્યું. "यदा यदा हि धर्मस्य..." આ કોલ પાળવા શ્રી કૃષ્ણે દેવકીજીની કૂખે અવતાર લીધો. જન્મ કારાવાસમાં પરંતુ ઉછેર નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં!
 
શ્રી કૃષ્ણ એટલે કૌસ્તુભમણિ. સવાર થતાં જ યશોદાજીને પુત્ર જન્મની વધાઈ સાંપડે છે. ગોકુળમાં આનંદ આનંદ છવાઈ ગયો. "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી."
 
વસુદેવ યોગમાયાને લઈ પાછા મથુરામાં કારાગૃહમાં પ્રવેશ્યા. આ બાલિકા શ્રી વિષ્ણુની નાની બહેન મહામાયા જ હતી. બ્રહ્મ સંબંધ થતાં બેડી તૂટેલી. માયાનો સંસર્ગ થવાથી તેમના હાથમાં ફરીથી બેડીઓ આવી ગઈ. કારાગૃહના દ્વાર બંધ થઈ ગયા.
 
સો ટચના સોનાનો કદી આકાર થતો નથી. ચોખા વાવે તો ચોખા ન થાય. તે માટે તો ડાંગર જ વાવવી પડે. આવરણ સાથે બ્રહ્મ નિહાળે તેને મુક્તિ મળતી નથી. આ બધા પ્રસંગો તો અવતાર ધારણ કરવા પ્રભુની સ્વેચ્છા મુજબ જ બન્યાં હતા. દેવીએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની અને દેવો ગોવાળિયાઓ બન્યાં.
 
શ્રી કૃષ્ણ ભયાનક કાળમાં જન્મ્યાં હતા. તત્કાલીન સમાજમાં સત્તા અને સંપત્તિનું પાશવી નૃત્ય ચાલી રહ્યું હતું. રાક્ષસી પૂતના, રાક્ષસો શકરાસુર, તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, વ્યોમાસુર વગેરે ભગવાન શ્રી કૃષ્ણના અપૂર્વ બળ આગળ ટકી શકતા નથી.
 
વ્રજ ગોપીઓ પ્રત્યેના અલૌકિક પ્રેમનો અને રાસલીલાનો પ્રસંગ અદભુત છે. વ્રજના કણ કણમાં આ ઉત્સવ ઉજવાયો છે.
 
શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા વળી તિથિ પણ શ્રાવણ વદ આઠમ, આથી આ દિવસ જન્માષ્ટમી તરીકે પવિત્ર ગણાય છે. જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલું વ્રત વ્રતધારીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનારું છે. જન્માષ્ટમી વ્રત કરવાથી અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે.
 
દશાફલ વ્રત (શ્રાવણ વદ આઠમ) અન્ય વ્રત કરતાં જુદું જ છે. ભગવાનની સેવા-પૂજા, કથા-વાર્તા, આરતી વગેરે મધરાતે કરાય છે. ભગવાને અર્ધ્ય પણ મધરાતે અપાય છે. આ વ્રત કરનારને ખરાબ દશા આવતી નથી, માટે સૌએ આ વ્રત શ્રદ્ધા પૂર્વક કરવું જોઇએ. ઈશ્વરનું પ્રાગટ્ય કે પ્રાદુર્ભાવ એટલે મહોત્સવ. પ્રભુ કીર્તન, પ્રભુ સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ તથા પૂજન લોકોના પાપને તત્કાળ દૂર કરે છે.
 
નંદબાબાએ ગૌદાન અને ગુપ્ત દાન કરીને સૌને પ્રસન્ન કર્યા હતા. ધન-સંપત્તિને ધોવાની સારી પ્રક્રિયા દાન છે. અન્નદાન, વિદ્યાદાન વગેરે દાન દ્વારા ધન ધોવાય છે. આ દાન સુપાત્ર હોવું જરૂરી છે.
 
દેવતાઓ વિવિધ સ્વરૂપે દર્શને આવ્યા છે. સૌંદર્ય એ આંખનો ઉત્સવ છે. સંતોષ એ આનંદનો ઉત્સવ છે. ધ્યાન અને પ્રેમ એ અંતઃકરણનો ઉત્સવ છે.
 
ભગવાન સૌંદર્ય અને પરમાનંદ લૂંટાવી રહ્યા છે. શિવજી પણ પધાર્યા છે. હરિ-હરની નજર એક બને છે. શિવજી તો આનંદવિભોર બની તાંડવ નૃત્ય કરવા લાગે છે. બાલસ્વરૂપ નિહાળી સૌને પરમાનંદ થાય છે. પ્રભુએ બાળલીલામાં કોટિ કોટિ બ્રહ્માંદના દર્શન કરાવ્યા છે.
 
કંસ પૂતના રાક્ષસીને મોકલે છે. જે પવિત્ર નથી તે પૂતના. પૂતના એ મનનો દોષ છે. મનમાં રહેલી અવિદ્યા છે. પૂતના એ અહંકાર અને વિકાર છે. પવિત્રમાં પવિત્ર વૃત્તિને ઘસડી લઈ જાય તે પાપનું નામ પૂતના. સ્તનપાન કરાવવાના ધરી આવે છે. શ્રી કૃષ્ણ તેનો ઉદ્ધાર કરે છે.
 
પૂતના અજ્ઞાનતાનું પ્રતીક છે, વાસનાનું પ્રતીક છે. માણસની આંખમાં પૂતના રહેલી છે. પરસ્ત્રીનું સૌંદર્ય જોનારની આંખમાં પૂતનાનો વાસ છે. પૂતનાનું બાહ્ય સૌંદર્ય માયાનું સ્વરૂપ છે. તે કામચારિણી અને નિશાચારિણી હતી. પાપ પાપના રૂપમાં હોય ત્યારે ઓળખી શકાય છે, પરંતુ તે પુણ્યનો આંચળો ઓઢીને આવે છે તે ઓળખવું દુષ્કર છે.
 
શ્રી કૃષ્ણ જન્મનું રહસ્ય એ છે કે મથુરામાં જ્યારે શ્રી કૃષ્ણે મલ્લો સાથે યુદ્ધ કર્યું ત્યારે મલ્લોને મારી નાંખ્યાં હતા. સંસાર રૂપી અખાડામાં કામ-ક્રોધ રૂપી મહામલ્લો જીવને મારતાં આવ્યાં છે. કંસ વધની કથાનું રહસ્ય એ છે કે, સંસાર એક અખાડો છે, મલ્લ "ચાણુર" કામનું પ્રતીક છે અને "મુષ્ટિક" એ ક્રોધનું પ્રતીક છે. કામ અને ક્રોધ બે મહામલ્લો છે, જે અનાદિકાળથી જીવને મારતાં આવ્યાં છે. શ્રી કૃષ્ણે કંસ દ્વારા મોકલવામાં આવેલ "કુવલયાપીડ" હાથી એ અભિમાનનું પ્રતીક છે.
 
જે પૂર્ણ તૃપ્તિ આપે તે પ્રિય કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ એ બીજ છે. આ બીજનું જો જીવનમાં બીજારોપણ કરવામાં આવે તો ભાવમય સૃષ્ટિનું સર્જન થાય છે. ગોપીઓ કહે છે: અમારા સાચા પતિ તમે જ છો. અમને એવું જ્ઞાનામૃત આપો કે જેથી તમારો વિયોગ જ ન થાય. ગોપી એ હ્રદયનો શુદ્ધ ભાવ છે. ગોપીની પરિભાષા એ છે કે, "પરમાત્મા દર્શન કરતી વખતે સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાવ ભૂલે એ ગોપી!"
 
ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને દિવ્ય રસનું, અદ્વૈત રસનું પાન કરાવે છે. ગોપીઓને પ્રમાનંદન પ્રાપ્ત થાય છે. જીવ અને ઈશ્વર ઐક્ય સાધે છે. વ્રજાંગનાઓના મંડળમાં પ્રભુનું ખોવાઈ જાય છે.
 
જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજવાસીઓના પાપને હરનારું છે. આ તિથિનો મહિમા અનેરો, અનોખો અને અદ્વિતીય છે.
 
એક વખત બ્રહ્માદિ દેવોને થયું કે, કૃષ્ણ ગોપીઓ સાથે નાચે-કૂદે, રાસ લે એ ઠીક ન કહેવાય. આ નિષ્કામ લીલા મર્યાદા વિરુદ્ધ ગણાય. પ્રભુ પોતે પરસ્ત્રી સાથે નાચે-કૂદે તે યોગ્ય નથી. આવું બ્રહ્માજી વિચારી રહ્યા છે, ત્યાં તો તેમને જેટલી ગોપીઓ હતી તેટલા કૃષ્ણ દેખાયા !
 
ગોપીઓના પ્રેમપરાગ પાસે પ્રભુ વેચાઈ ગયા છે. રાસમાં ગોપીઓના શરીર સાથેનું રમણ ન હતું. આ તો ગોપીઓના આધ્યાત્મિક સ્વરૂપનું મિલન હતું. આ આધ્યાત્મિક મિલન માટે પણ સૌએ જન્માષ્ટમીનું વ્રત કરવું આવશ્યક છે. રાસલીલામાં આત્માનું આત્મા સાથે રમણ છે. આ તો ભક્તિમાર્ગના ઉચ્ચ જીવાત્માઓ સાથે નટવરનું નૃત્ય છે.
 
રાસોત્સવ મહાન છે. ગોપીઓ (સ્ત્રી અને પુરુષો બંને) ભક્તિમાર્ગના સાધકો છે. ભગવાન શ્રી કૃષ્ણે રસબ્રહ્મની અનુભૂતિ કરાવીને પરમાનંદ રસના માધ્યમથી રસની લહાણ કરી છે. આ સર્વે ગોપીઓ નિષ્કામ ભક્તિમાર્ગની પ્રવાસીઓ છે.
 
ભગવાન શ્રી કૃષ્ણે શંખચૂડ, અરિષ્ટાસુર, કેશી દૈત્ય, વ્યોમાસુર વગેરેનો તેમજ કંસનો વધ કર્યો હતો. ત્યાર પછી પ્રભુ કારાગૃહમાં માતા-પિતાને મળવા જાય છે, પ્રણામ કરી તેમને મુક્ત કરે છે. કંસનો ઉદ્ધાર કરી તેનું રાજ્ય શ્રી કૃષ્ણે કંસના પિતા ઉગ્રસેનને અર્પણ કર્યું હતું.
 
ગોકુળ લીલા ૧૧ વર્ષ ૫૨ (બાવન) દિવસ ચાલી હતી, અને પછી પ્રભુ મથુરા પધાર્યા હતા. કંસ વધ કરી શ્રી કૃષ્ણ જ્યારે દેવકીજીને તેમને પોતાના ખોળામાં બેસાડી હ્રદય પૂર્વક રૂદન કરે છે. પિતા વસુદેવનો વાત્સલ્ય પ્રેમ પણ અતૂટ છે, તેમની આંખો પણ અશ્રુભીની થાય છે.
 
વસુદેવજી કૃષ્ણ-બલદેવને આલિંગન આપી ગદગદ કંઠે કહે છે કે, આજે મારો જન્મ સાર્થક થયો છે, મારું જીવન સફળ થયું છે. આજે મને મારા બંને પુત્રો મળ્યા છે તેથી મારા આનંદની સીમા અસીમ છે.
 
જન્માષ્ટમીનું વ્રત ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તેમજ અન્ય ધર્મશીલ વર્ગ કરે છે. આ પાપનાશક વ્રતનો મહિમા ઘણો છે. આ દિવસે શ્રી કૃષ્ણલીલા અને ચરિત્રોનું શ્રવણ-પઠન કરવું, ઉપવાસ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું. આ દિવસે ત્રણ પ્રકારની ભગવત્સેવા કરવાનું વ્રત લેવું. આ સેવા ત્રણ પ્રકારની છે - (૧) માનસી સેવા (૨) તનુજા સેવા અને (૩) વિત્તજા સેવા.
 
જન્માષ્ટમીના દિવસે મનની એકાગ્રતા રાખી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવવું તેને "માનસી સેવા" કહે છે. તનુ એટલે દેહ. દેહ દ્વારા જે સેવા થાય તેનું નામ "તનુજા સેવા". વત્તિ એટલે ધન. ધનથી જે સેવા થાય તેનું નામ "વિત્તજા સેવા". સેવા, ધર્મ અને ધર્મબળ એ સર્વ આધ્યાત્મિક બળોની બુનિયાદ છે.
 
જ્યારે શ્રી કૃષ્ણ અને વસુદેવ-દેવકીજીનું કારાગૃહમાં સુખદ મિલન થાય છે ત્યારે વાણીની ભાષા અટકી જાય છે અને આંસુની ભાષા શરૂ થાય છે. માતા-પિતા પુત્ર પાસે એવું માગે છે કે, અમને માયા સતાવે નહિ. અમને માયાજાળથી અલિપ્ત રાખજો. એમને દૈવી સંસ્કૃતિનો ભારતવર્ષમાં ફેલાવો કરવાની અભીપ્સા છે માટે એવું સામર્થ્ય માગે છે. એમને રાજ્યધૂરાને લીધે માયામાં ડૂબી જવું નથી. ઉન્નતિની આંધળી લિપ્સા નથી જોઇતી, એમને તો અમી થઈને વરસતા વાદળ જેવું જીવન આ વૃદ્ધાવસ્થામાં જોઇએ છીએ.
 
ભલે હો અલ્પ, કિન્તુ માનવી જેવું જીવન દેજે;
             ઉરે હો જે ભાવ, એવું મનન દેજે...
કનૈયા ! મારે મોક્ષ નથી જોઇતો, નિષ્કામ ભક્તિ જોઇએ છે. માતા-પિતાને કૃષ્ણ દર્શનથી મોક્ષનો મોહ પણ ઊતરી ગયો છે. માટે એવી ભક્તિ માગે છે કે, "ઊતરી જાયે મોક્ષનાય પણ મોહ !" હે ગોપાલ ! ભક્તિ કેવળ કોરી નહિ, કર્મ સ્વરૂપે આપજે. મોહ એ માનસ રોગોનું મૂળ છે. ધર્મ એ અમૃત છે. આપત્તિમાં વિવિધ વ્રતો દ્વારા પ્રભુ-સ્મરણ કરવું એ અમૃત છે.
 
વ્રત કર્યા પછી સંપત્તિનો વિનોયોગ કીર્તિ દાનમાં નહિ પરંતુ ગુપ્ત દાનમાં કરવો એ ધર્મ છે. આચાર અને વિચારનો સુભગ સમન્વય કરી વ્રતધારીએ પોતાના વચનને વર્તન દ્વારા સમૃદ્ધ બનાવવું એ સાચું વ્રત છે. આપણું આજીવિકાનું સાધન શુદ્ધ હોવું જોઇએ અને તેના દ્વારા જીવાતું જીવન અને દાન-દક્ષિણા પણ શુદ્ધ હોવા જોઇએ.
 
ધર્મના માર્ગે જે દ્રવ્યોપાર્જન થાય છે, તે વ્રત-ઉત્સવમાં ખર્ચાય તે યોગ્ય વિનિમય કહેવાય.
 
આ ધન જીવનમાં સાધુતાને અને સદગુણોને નષ્ટ થવા દેવું જે સાચો વ્રતધારી છે, જે ત્યાગી છે, જે તપસ્વી છે, જે સંન્યાસી છે તેને ધનની જરૂર પડતી જ નથી. લક્ષ્મીજી તેમની પાછળ પાછળ દોડે છે. તેઓ સદકાર્ય માટે ધન જેમ-જેમ આપતા જાય છે, વાપરતાં જાય છે, તેમ-તેમ ધન આપનારા વધતાં જાય છે.
 
વ્રત-ઉપાસના એ પ્રાચીન પરંપરા છે, તે મૂર્ધન્ય સંસ્કૃતિ છે. સર્વ ધર્મનો નિચોડ વ્રત-ઉપાસનામાં નવનીત (માખણ) રૂપે આવી જાય છે. વિધિ વ્રતો જ્ઞાન અને ભક્તિની અભિવૃદ્ધિ કરે છે. વ્રતો સ્ત્રી-પુરુષો માટે પારા જેવા છે. પારો પચે નહિ તો આખા શરીરમાં ફૂટી નીકળે. વ્રત દરમિયાન આત્મધર્મ સાથે દેહધર્મ બજાવવો જોઇએ. શરીરને વસ્ત્ર ઢાંકે છે, તેમ આત્માને વાસના ઢાંકે છે. આ વાસનાનું આવરણ દૂર કરવાથી પ્રભુ પ્રાપ્તિ થાય છે.
 
જન્માષ્ટમીનું વ્રત કરવાથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધિઓ યોગમાર્ગની નહિ, પણ ભક્તિમાર્ગની છે. અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ માટે જન્માષ્ટમીનું વ્રત એ અમોઘ સાધન છે. પ્રેમી અને પ્રેમાસ્પદે પ્રભુ પ્રત્યે આ દિવસે પ્રીતિની ગાંઠ બાંધવી જોઇએ. દેવકી-વસુદેવમાં વાત્સલ્યનું પરમ માધુર્ય પાછું આવે છે. અદ્વૈત બુદ્ધિ જાગૃત થાય છે અને માહાત્મ્ય જ્ઞાન ભૂલાઈ જાય છે.
 
ભગવાન સાથે સંબંધ બાંધી શકે છે તે ઉત્તમ સાધક કે ઉત્તમ વ્રતધારી છે. આ સંબંધના ચાર ભાગ છે: દાસ ભાવ, વાત્સલ્ય ભાવ, મિત્ર ભાવ અને પ્રિયા-પ્રિયતમનો સંબંધ. ક્યારેક કરુણાનિધાન ભગવાન શ્રી કૃષ્ણ જીવનને અનુકૂળ બની જાય છે, આ એમની અસીમ કરુણા છે, કૃપા છે.
 
'વ્રત' એ ભક્તિ માર્ગ છે. જ્ઞાનમાર્ગમાં તોડવાનું છે, છોડવાનું છે અને ભક્તિમાર્ગમાં બાંધવાનું છે. યશોદાજી વાત્સલ્યના માધુર્યમાં કૃષ્ણ જન્મને લીધે બંધાઈ ગયા છે. આ શરણાગતિ અને આત્મનિવેદન છે. ભગવાન લૌકિક દોરડાથી બંધાતા નથી, એ તો પ્રેમરૂપી દોરડાથી જ બંધાય છે. જે વ્રતીના અંતઃકરણમાં બ્રહ્મવાદ અને ભક્તિ સ્થિર હોય, જીવન-જગતને ભગવાનની દેન માને તે પરમ ભગવદીય છે. વ્રત-ઉપાસના ચિત્તને એકાગ્ર બનાવનારી અને ચિંતારૂપી ચિતાનો નાશ કરનારી છે. જેને વ્રતમાં શ્રદ્ધા છે, તેનું મન સ્થિર રહે છે. વિશ્વાસ એ માનવ અંતઃકરણની મૂર્તિ છે. વ્રતીના વિશ્વાસની યાત્રા શ્રદ્ધા સુધી જવી જોઇએ. શ્રદ્ધા અને વિશ્વાસનો જો સુભગ સમન્વય થાય તો જ વ્રત પરિપૂર્ણ થાય છે. વ્રત-ઉપાસનામાં ચિત્તવૃત્તિ સ્થિર બને તેનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધાને સ્થિર રાખવા સંયમ જોઇએ, તપ જોઇએ. ભક્તિ એ વ્રતની સમૃદ્ધિ છે.
 
શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, બુધવાર, ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતી. શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરી, પુણ્યાત્માઓની રક્ષા કરવા, અસુરોનો ધ્વંસ કરી, ગાયો, બ્રાહ્મણો અને સંત-મહાત્માઓનું પાલન કરવા જન્મ ધારણ કર્યો હતો.
 
આ પરમ પવિત્ર દિવસે જન્માષ્તમીનો ઉત્સવ, રાત્રે જાગરણ અને કૃષ્ણ કીર્તન કરતાં-કરતાં જન્મદિવસની ઉજવણી દરેક દેવમંદિરોમાં કરવામાં આવે છે. અર્ચન-પૂજન, ભૂદેવો અને સંતોનું સન્માન, દાન-દક્ષિણા વગેરે સાથે વ્રત કરવાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે, અને સુખ-શાંતિ ભર્યું જીવન જીવી અંતે વૈકુંઠમાં વાસ મળે છે.
 
પૂર્વે યદુના વંશમાં શ્રી કૃષ્ણનો જન્મ થયેલો. શ્રી શુકદેવજી કહે છે: "कृष्णस्तु भगवान स्वयं" - કૃષ્ણ પોતે જ ભગવાન છે. દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત ઉપવાસ કરવાથી પ્રસન્ન થાય છે. આ વ્રત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌ પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. આ વ્રતના પ્રભાતે તેઓ પુનઃ રાજવૈભવ પ્રાપ્ત કરી શક્યા હતા.

કનૈયા ના જન્મોત્સવની શુભકામનાઓ


કનૈયા ના  જન્મોત્સવની   શુભકામનાઓ 





[ આ લેખનું અક્ષરાંકન સ્વામીજી ના પુસ્તક  ‘ચિંતન-કણિકાઓ’  માંથી કરવામાં આવ્યું છે. ]

૧. વિશ્વમાં સૌથી વધુ ઝઘડા પતિ-પત્નીઓમાં થતાં હોય છે. કારણ કે સૌથી નિકટનો સંબંધ તેમનો છે. પરસ્પરનાં હિત તથા અપેક્ષાઓ પતિ-પત્ની વચ્ચે સૌથી વધારે હોય છે. લાગણીઓની કોમલતા તથા નાજુકતાનું ક્ષેત્ર પણ પતિ-પત્નીઓમાં સવિશેષ રહેતું હોય છે. એટલે નાની નાની બાબતોમાં પણ લાગણીઓને ઘવાતા વાર નથી લાગતી. પ્રેમની પીઠિકા લાગણી છે અને લાગણીઓ હંમેશા નાજુક તંતુઓથી અવલંબિત હોય છે. આ તંતુઓ આઘાત-પ્રત્યાઘાતને સહી નથી શકતા હોતા. લાગણીઓની તીવ્રતા જેટલી પ્રબળ તેટલી જ તેની નાજુકતા વધારે. તીવ્ર પ્રેમની ગાડી બહુ જ તીવ્રતાથી પાટા ઉપરથી ઉથલી પડતી હોય છે.

૨. પત્ની પાછળ વાસનાના પૂરને કારણે ભટકનાર પતિ કદી સાચો પતિ કે સાચો પ્રેમી નથી થઇ શકતો. તેમ વાસનાના આકર્ષણમાં પતિને ખેંચ્યા કરનાર પત્ની પણ સાચી પત્ની નથી થઇ શકતી. બન્નેના સંબંધો ગમે તેટલા ગહન હોય તોપણ તે ક્યારે કાચની માફક નંદવાઈ જશે તે કહી ન શકાય.

૩. દામ્પત્યજીવનની સફળતા માટે સમજણની સમજણ એ છે કે બીજાને સુખી કરીને પોતે સુખી થઇ શકશે. જો આ મૂળ સમજણ બરાબર દ્રઢ રહી તો બાકી બધું થોડું ઘણું વાંકુચૂકું હશે તોપણ ચાલી શકશે. બીજા પાત્રને સુખી કરવા જ પોતે લગ્ન કર્યાં છે એવી નિષ્ઠાને હંમેશા પોષણ મળે તેવું વાંચન, મનન તથા તેવો સંગ આવશ્યક હોય છે. આવાં તત્વોથી સાવધાન રહીને જીવનનાવ ચલાવાય તો જ નાવ કિનારે પહોંચે, નહીં તો પાણીમાં સંતાયેલા ખડકોની માફક દૃષ્ટ માણસો સારા દામ્પત્યને ખળભળાવી મૂકશે.

૪. દામ્પત્યજીવનને સ્ત્રીની સહનશક્તિ જ દીર્ઘાયુષ્ય આપતી હોય છે. સારામાં સારો સદગુણી પુરુષ પણ થોડાઘણા અંશમાં સ્ત્રીને સહન કરાવતો હોય જ છે. તેનાં મૂળમાં પુરુષનું વર્ચસ્વ તથા સ્ત્રીની આધીનતા કારણ છે. જોકે પુરુષોનો સીમિત રુઆબ સહન કરવામાં સ્ત્રીને વેદના નહિ, પણ સુખ થતું હોય છે. જો તે સીમિત રુઆબ પાછળ અસીમિત પ્રેમ પડ્યો હોય તો. પણ જો પાછળ પ્રેમ ન હોય અને માત્ર રુઆબ જ થયા કરતો હોય તો સ્ત્રીમાનસમાં વિદ્રોહના અંકુર ફૂટવા માંડે. તેમાંથી નફરતનો જન્મ થાય, તેમાંથી કલહ-કંકાસ અને દામ્પત્યજીવનની હોળી પ્રગટતી હોય છે.

૫. શુદ્ધ પ્રેમને વિરહના તાપ હોય જ છે. વિરહ દ્વારા જ પ્રેમની શુધ્ધતા પ્રગટી શકે છે. પણ વિરહક્ષેત્રે પુરુષ કરતાં સ્ત્રીની ભૂમિકા જુદી હોય છે. પુરુષ બૌદ્ધિક રીતે તથા વ્યવહારિક કાર્યક્ષેત્ર દ્વારા વિરહના સમયને ટૂંકાવી નાખે છે, પણ સ્ત્રીની લાગણીઓ તીવ્ર હોવાથી તથા મન પરોવવા માટે અન્ય મહત્વની પ્રવૃતિઓ ના હોવાથી તેની લાગણીઓ લગભગ સતત બળતી રહે છે. બળતી લાગણીઓમાં તે પુરુષની તુલનામાં અધિક શેકાય છે.

૬. દીકરીને દાગીનાનો દહેજ આપવો તેના કરતાં સ્વાવલંબીતાની શક્તિ આપવી તે સાચું કલ્યાણ છે

.૭. પ્રેમની સત્યતા માત્ર ચિતામાં સાથે બળવાથી જ થતી હોય તો હવે પતિઓએ પણ સતા થવાની શરૂઆત કરવી જોઈએ ! કારણ કે પ્રેમ તો પતિઓ પણ કરતા હોય છે. સદીઓ સુધી લાખ્ખો પત્નીઓ, પતિઓની પાછળ સતી થતી રહી. શું હજી સુધી એક પણ પતિ પત્નીપ્રેમી નથી નીકળ્યો?હિંદુ પ્રજાની રાષ્ટ્રીય, આર્થીક અને સામાજિક દુર્દશાનું મૂળ કારણ તેના પ્રચલિત રૂઢીધર્મો છે. આ રૂઢીધર્મોએ ધર્મને મારી નાખ્યો છે એટલે સાચા અર્થમાં તો પ્રજા ધર્મ વિનાની થઇ ગઈ છે. આ રૂઢીધર્મોમાં જો આમૂલ ક્રાંતિ નહિ કરાય તો પ્રજા આ ધર્મો (રૂઢીધર્મો) થી જ મરી જશે. માને સ્પષ્ટ દેખાય છે કે કાં તો પ્રજા બચશે અથવા કાં તો આ રૂઢીધર્મો બચશે.

૮. માત્ર લગ્નથી જોડાવું એ પર્યાપ્ત નથી, તે તો ઉપરનો વ્યવહારિક સંબંધ છે, પણ અંતરથી એકબીજામાં ભળી જવું, એવું ભળવું કે પછી બન્નેનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ માત્ર એક જ થઇ જાય, એ દામ્પત્ય છે. દામ્પત્યની પૂર્ણ નિષ્પત્તિ એ સફળ જીવનની સૌથી મોટી બક્ષીશ છે. માત્ર જોડાવું જ નહિ, ભળી જવું. સંપૂર્ણ ભળી જવું, એ દામ્પત્ય છે.

૯. કુદરતી પરિપ્રેક્ષ્યમાં સ્ત્રીને સમર્પિત થવાનું, તેના સમર્પણથી પુરુષનું પ્રત્યાર્પણ થાય છે. સમર્પણ અને પ્રત્યાર્પણથી દામ્પત્ય નિષ્પન્ન થાય છે. અહંભાવ તથા સ્વાર્થના ત્યાગ વિના આ શક્ય નથી. જે સ્ત્રી સંપૂર્ણ સમર્પણ નથી કરી શકતી તે સંપૂર્ણ પ્રત્યાર્પણ પણ નથી પામી શકતી. જે પુરુષ સમર્પિત સ્ત્રીને પણ સંપૂર્ણ પ્રત્યાર્પણ નથી કરી શકતો તે દામ્પત્યની વિશ્રાંતિ નથી અનુભવી શકતો.

૧૦. અત્યંત અહંકારી અને સ્વકેન્દ્રિત વ્યક્તિઓએ પણ લગ્ન ન કરવાં જોઈએ. લગ્ન એક નાનીસરખી વિધિ છે, પણ તેનું પૂરું પરિણામ દામ્પત્ય છે. દામ્પત્ય એક સાધના છે. પુરોહિતોની વિધિમાત્રથી તે સિદ્ધિ થતી નથી. તેના માટે નરનારી બન્નેએ લાંબી કઠોર સાધના કરવી પડતી હોય છે. કન્યા સર્વાતોભાવેન પતિમાં સમર્પિત થાય તથા વર સર્વાતોભાવેન કન્યામાં પ્રત્યાર્પિત થાય તો જ સફળ દામ્પત્યની સિદ્ધિ થઇ શકે. જે લોકો બહુ અહંકારી તથા માત્ર સ્વલક્ષી હોય છે, તેવાં માણસો સમર્પિત કે પ્રત્યાર્પિત થઇ શકતાં નથી. આવાં માણસો બાહ્ય જીવનમાં ગમે તેટલાં મહાન હોય તો પણ લગ્નજીવનમાં તદ્દન નિષ્ફળ થતાં હોય છે. તેમનું લગ્નજીવન તેમના માટે ઉપાધિ કે ત્રાસરૂપ થઇ જતું હોય છે. આવાં માણસોએ લગ્ન કરતાં પહેલાં પોતાની પ્રકૃતિનો વિચાર કરવો જોઈએ.પ્રજાજીવનમાં પેટના પ્રશ્ન પછી મહત્વનો પ્રશ્ન સેક્સનો છે. પેટનોપ્રશ્ન ઉકેલી શકાય પણ જો સેક્સનો પ્રશ્ન ન ઉકેલી શકાય તો પ્રજા દુઃખી અને અશાંત થઇ જશે. સેક્સના પ્રશ્નનો સાચો અને ભરોસાપાત્ર ઉકેલ લગ્નસંસ્થા છે. લગ્નસંસ્થાનું પૂરું રક્ષણ થવું જોઈએ. વાસના કુદરતી તત્વ છે, જયારે પ્રેમ કુદરતી અને માનવીય તત્વ છે. માત્ર વાસનાથી લગ્નસંસ્થા મજબૂત ન થઇ શકે, કારણ કે વાસના કિનારા વિનાની પર્વતીય નદી છે, જેનો પ્રચંડ વેગ માત્ર તણાય જવાનું અને તાણી નાખવાનું જ કાર્ય કરતો રહે છે. પ્રેમ અને વફાદારીના કિનારા વિના આ ગાંડી વાસનાને નાથવી શક્ય જ નથી. બે વફાદારીઓનો પૂર્ણ સરવાળો પ્રેમ છે. વફાદારી વિના વાસનાતો ફળીફૂલી શકે છે. પ્રેમ નહિ. પરસ્પરની વફાદારી તૂટે તેવા પ્રયત્નો કે તેવું દર્શન પ્રેમનો નાશ કરનારું બને છે. પ્રેમ વિનાની વાસના પૂરી પ્રજા માટે ભયંકર પ્રશ્નો ઉભા કરે છે. પ્રેમ અને વાસના બન્નેની માનવીય જીવનમાં જરૂર છે જ પણ તે લગ્નસંસ્થાના માધ્યમથી.પણ લગ્નસંસ્થા જો દૂષિત હશે તો પ્રજા માટે, સ્ત્રીઓ માટે, પુરુષો માટે, વિવાહીતો માટે, અવિવાહીતો માટે અને વિવાહને પાપ માનીને દૂર ભાગનારા માટે ભયંકર પ્રશ્નો ઉભા કરશે. એટલે લગ્નસંસ્થાને વધુ માનવીય અને સૌના માટે ન્યાયકારી બનાવવી જોઈએ. વિધવાઓ, વિધુરો, ત્યકતાઓ અને વંચિતો એમ સૌનો વિચાર કરીને સૌના પ્રશ્નોને ઉકેલી શકાય તેવી વ્યવસ્થા જ ઉત્તમ વ્યવસ્થા બની શકે.

૧૧. જે ઘરમાં સ્ત્રીઓના પ્રશ્નો ઉકેલાતા હશે તે જ ઘરમાં શાંતિ રહેતી હશે. વણઉકેલ્યા સ્ત્રીઓના પ્રશ્નો અશાંતિ સર્જે છે. પુરુષોના પ્રશ્નો ન ઉકેલાય તો દુઃખ પેદા થાય છે.

૧૨. દામ્પત્યની સફળતામાં એકબીજાની રુચિઓ તથા માન્યતાઓનો આદર અને સહિષ્ણુભાવ રાખવો એ જરૂરી શરત છેમ અનેક પ્રતિકૂળતામાં પણ સ્ત્રી છૂટી થવા નથી માગતી, એની પ્રતીતિ થતાં જ પુરૂષ વધુ બેફામ થઇ શકે છે. કારણ કે ખાનદાન સ્ત્રીની આવી કમજોરી તેને બેફામ થવાનો પાનો ચઢાવે છે. પછી જીવન ગૂંગળાવા લાગે છે. ઘણીવાર આવી જ દશા ભદ્ર પુરૂષની, અભદ્ર સ્ત્રી દ્વારા પણ થતી હોય છે.આપને 

સ્વામીજીના વિચારો કેવા લાગ્યા? તમારો અભિપ્રાય અહીં જણાવો.